Search This Blog

Blog Archive

Theme images by Storman. Powered by Blogger.

Popular Posts

Showing posts with label ઓર્ગેનિક ખેતી. Show all posts
Showing posts with label ઓર્ગેનિક ખેતી. Show all posts

Wednesday, 20 September 2017

ગાય ની છાસ ની સજીવખેતી માં ઉપયોગીતા.

- No comments

ગાય ની છાસ ની સજીવખેતી માં ઉપયોગીતા.  

                ગાય ની  છાસ  ખેતી  માં  ખુબજ  ઉપયોગી  થઇ  સકે  છે. આઠ થી દસ દિવસ છાસ ને રાખી દેવી ખુબજ ખાટી થઇ જશે અને વાસ મારશે. છાસ માં ખટાસ હોવાથી તે કોઈપણ જાત ની ફૂગ હોય તેનો નાશ કરી સકે છે. આથી સજીવ ખેતી માં કોઈપણ જાત ની ફૂગ આવે તો તેમાં પાણી નાખી અને છાસ નો છંટકાવ કરી શકાશે .

              તમારી જમીન માં ખારાસ નું પ્રમાણ વધારે હોય તો તેને દુર કરવા પણ છાસ નો પ્રયોગ કરી સકાય અને તે માટે ખારાસ વાડી જમીન માં  ખાટી છાસ ને પાણી સાથે ધોરીયા ધ્વારા આપી ને જમીન ને સુધારી સકાય છે. આ પ્રયોગ ગણ બધા લોકો એ કરેલ છે. અને સારા માં સારું પરિણામ મળેલ છે.
         છાસ દ્વારા ખારા પાણી ઉપર નિયંત્રણ રાખી શકાય છે . મેં જાતે પ્રયોગ કરેલ છે. અમારે ગામ નું પાણી ૧૦૦૦૦  દસ હજાર ટી.ડી.એસ. છે . મેં અખતરો કરીયો તે પ્રમાણે ૫૦ એમ. એલ. પાણી માં ૫ એમ. એલ. છાસ નાખી  તો  પાણી ના ટી.ડી.એસ. ૧૦૦૦૦ થી સીધા ૭૩૦૦ સાત હજાર ત્રણસો ટી.ડી.એસ. ઉપર પાણી આવી ગયું. મતલબ કે ૨૦૦૦ થી ૨૫૦૦ ટી.ડી.એસ. કંટ્રોલ થઇ શકે. લીંબુ ના ફૂલ નો પણ ઉપયોગ ટી.ડી.એસ. ગટાડવા માટે થઇ શકે. 

કુદરતી ખેતી (ઓર્ગેનિક ખેતી) એટલે શુ.?

- No comments

કુદરતી ખેતી (ઓર્ગેનિક ખેતી) એટલે શુ.?

રાસાયણીક દવા કે ખાતર વગર ની  ખેતી ને રસાયણમુક્ત ખેતી, સજીવ ખેતી ,જૈવિક   ખેતી,પ્રાકૃતીક ખેતી, ઑર્ગૅનિક ખેતી અથવા કુદરતી ખેતી કહે છે.અને અંગ્રેજી મા ઑર્ગૅનિક ફાર્મિંગ.
            આપણે કુદરતી ખેતી ની શુન્ય બજેટ ખેતી પણ કહી સકિયે.આ પ્રકાર ની ખેતી મા કોઈ પણ પ્રકાર ની બહાર થી ખરીદેલી,ઝેરી વસ્તુ ઑ નો ઉપયોગ નથી કરવામા આવતો. આજથી સો દોઢસો વર્ષ પહેલા જેવી રીતે આપણા પૂર્વજો ખેતી કરતા હતા તે બધી રીતો ( જે હૂ આ બ્લોગ મા જણાવીશ ) અપનાવી આપણે કુદરતી ખેતી કરવાની છે.અને જો તમે આજ થી જ આ નાની બાબતો ધ્યાન મા રાખી ને કુદરતી ખેતી કરવાનુ ચાલુ કરશો તો તમારો ઉત્પાદન વધશે અને જમીનનુ તથા તમારુ સ્વાસ્થ્ય પણ જણવાશે..
           મિત્રો.. આપણી જમીનો રાષાયણિક ખાતરોના ઉપયોગથી બગડી રહી છે ,તેની ફળદ્રુપ્તા ઘટવા લાગી છે. રાષાયણિક દવાઓના કારણે આપણા સ્વસ્થ્ય ઉપર માઠી અસર પડી રહી છે. પરંતૂ કુદરતી ખેતીમા ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આવે છે... તે માત્ર આપણી જમીન માટેજ નહી પણ આપણા સ્વાસ્થ્ય માટે, અને પર્યાવરણ માટે પણ ખુબ ફાયદાકારક છે આથીજ‌ ખેતીમા ઓર્ગેનિક ખેતી ને પ્રાધાન્ય આપો.. ઓર્ગેનિક પધ્ધતી થી ખેતી કરો.
રાસાયણીક દવા કે ખાતર વગર ની  ખેતી ને રસાયણમુક્ત ખેતી, સજીવ ખેતી ,જૈવિક   ખેતી,પ્રાકૃતીક ખેતી, ઑર્ગૅનિક ખેતી અથવા કુદરતી ખેતી કહે છે.અને અંગ્રેજી મા ઑર્ગૅનિક ફાર્મિંગ.

            આપણે કુદરતી ખેતી ની શુન્ય બજેટ ખેતી પણ કહી સકિયે.આ પ્રકાર ની ખેતી મા કોઈ પણ પ્રકાર ની બહાર થી ખરીદેલી,ઝેરી વસ્તુ ઑ નો ઉપયોગ નથી કરવામા આવતો. આજથી સો દોઢસો વર્ષ પહેલા જેવી રીતે આપણા પૂર્વજો ખેતી કરતા હતા તે બધી રીતો ( જે હૂ આ બ્લોગ મા જણાવીશ ) અપનાવી આપણે કુદરતી ખેતી કરવાની છે.અને જો તમે આજ થી જ આ નાની બાબતો ધ્યાન મા રાખી ને કુદરતી ખેતી કરવાનુ ચાલુ કરશો તો,ન તો તમારી ઉપજ વધશે અને સાથે સાથે સારુ સ્વાસ્થ્ય મફત અને કુદરત ની સેવા કર્યા નો ગર્વ અને આનંદ અલગ.